(1)સવાર-સાંજ પાકાં ટામેટાંનો રસ પીવાથી અને ભોજનમાં મીઠું ઓછું કરવાથી ખુજલી-ચળ મટે છે. (2) ટામેટાંના રસથી બમણું કોપરેલ લઇ એકત્ર કરી શરીર પર માલિશ કરવાથી અને થોડી વાર પછી કોકરવર્ણા પાણીથી સ્નાન કરવાથી ખસ-ખુજવી મટે છે. (3) પપૈયાનું દૂધ અને ટંકણખાર ઉકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી ખુજલી મટે છે. (4) લીંબુ કાપી બે ભાગ કરી બારીક સિંધવ ભભરાવી સૂકવવું. સુકાઇ જાય એટલે ખાંડીને ચૂર્ણ કરવું. આ ચૂર્ણ લેવાથી વાતરક્ત, ચળ અને ખુજલીમાં ફાયદો થાય છે. (5) લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી માલિશ કરવાથી ખુજલી મટે છે. ગરમ પાણીથી સ્નાન…
Read MoreCategory: Ayurveda
ખીલ-ખીલ ના ડાઘ મટાડવાના ઉપાયો
(1) પાકાં, ખૂબ ગળી ગયેલા પપૈયાને છોલી, છૂંદીને ચહેરા પર થોડો સમય માલીશ કરવી – મસળવું. 15-20 મિનિટ બાદ સૂકાવા લાગે ત્યારે પાણીથી થોઇ નાખી જાડા ટુલાવ વડે સારી રીતે લૂછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું. એક અઠવાડિયા સુધી આ પ્રમાણે કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દૂર થઇ ચહેરો ખૂબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે. ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દૂર થાય છે, ચહેરા પર કોમળતા અને કાંતિ આવે છે. (2)ખીલ થયા હોય તો ચહેરા પર નારંગીની છાલ ઘસવાથી ફાયદો થાય છે. (3) તલનો…
Read Moreખંજવાળ મટાડવાના ઉપાયો
(1) કોપરું ખાવાથી અને શરીરે ચોળવાથી ચળ-ખંજવાળ ઓછી થાય છે. (2) ખંજવાળ આવતી હોય તે ભાગો પર સીસમનું સહેજ તેલ લઇ દિવસમાં ચારેક વખત ઘસવાથી ખંજવાળ મટે છે. (3) વડની છાલના ઉકાળાથી સ્નાન કરવાથી ખંજવાળ મટે છે. (4) સૂતરાઇ કાપડનો ટુકડો ખંજવાળ વાળા ભાગ પર સખત રીતે બાંધી દેવો. જો બાંધી શકાય તેમ ન હોય તો સામાન્ય પટ્ટી સખત રીતે મારવી. એનાથી સોરાઇસીસ કે દરાજ જેવા વ્યાધી પણ કાબૂમાં આવે છે. (5) ગોળ સાથે હરડજે લેવાથી ખંજવાળ મટે છે. (6) સોપારી સળગાવી, રાખ બનાવી, તલના તેલમાં મેળવી ખંજવાળ વાળા ભાગ…
Read Moreખસ મટાડવાના ઉપાયો
(1)ખંજવાળ આવતી હોય તો તુલસીના પાનનો રસ ઘસવાથી મટે છે. (2) આમળાં બાળી તલનાં તલમાં ખરલ કરી ચોપડવાથી ખસ મટે છે. (3) તાંદળજાના રસમાં સાકર મેળવી પીવાથી ખસ મટે છે. (4) તુવેરના પાનબાળી રાખ બનાવી, દહીંમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે. (5) મરી અને ગંધક બારીક વાટી, ઘીમાં ખૂબ ખરલ કરી શરીરે ચોપડવાથી અને તડકાંમ બેસવાથી ખસ-લૂખસ મટે છે. (6) નસોતરને પાણીમાં પલાળી સૂતી વખતે તેનું પાણી પીવાથી સવારે પેટ સાફ આવે છે. અને લોહી શુદ્ધ થઇ ખસ મટે છે. (7) તાંદળજાની ભાજીના રસમાં સાકર મેળવી પીવાથી ખસ મટે છે.…
Read Moreખરજવું મટાડવાના ઉપાયો
(1)ભોંયરીંગણીના પાનનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે. (2) બટેટા બાફી પેસ્ટ જેવું બનાવી, ખરજવા પર મૂકી પાટો બાંધી દેવાથી ભીનું કે સુકું-જૂનું ખરજવું નિર્મૂળ થઇ જાય છે. (3) હઠીલા ખરજવા જેવા રોગમાં બટાટાની છાલ ઘસવાથી ઘણી રાહત થાય છે. નિયમિત છાલ ઘસતા રહેવાથી ફેલાવો થતો હોય તો તે અટકી જાય છે. (4) કડી ચુનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા પર લગાડવાથી તરતનો થયેલ રોગ દૂર થાય છે. (5) ખારેક કે ખજૂરના ઠળીયાને બાળી તેની રાખ, કપૂર અને હીંગ મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે. (6) ઇન્દ્રવર્ણાના…
Read Moreકોઢ મટાડવાના ઉપાયો
(1)અત્યંત ઉગ્ર ગંધને લીથે તરત ઓળખાઇ આવતા અને આખા ભારતમાં થતા બાવચીના છોડ આયુર્વેદનું પ્રસિદ્ધ ઔષધ છે. એક ચમચી બાવચીનાં બી એક ચમચી તલના તેલમાં વાટી સવાર-સાંજ એકાદ વરસ સુધી નિયમિત પીવાથી સફેદ કોઢ અને બીજાં ચામડીનાં દર્દો નાશ પામે છે. (2) બાવચીનાં બીને દૂધમાં ખૂબ લસોટી ઘટ્ટ બને ત્યારે લાંબી સોગટી બનાવી લેવી. આ સોગટીને દૂધમાં ઘસી પેસ્ટ(લેપ) જેવું બનાવી કોઢના ડાઘ પર લગાવી સવારના કુમળા તડકામાં અર્ધો કલાક બેસવું. લાંબો સમય આ ઉપચાર કરવાથી કોઢ મટે છે. (3) મન:શીલ, હરતાલ, કાળાં મરી, સરસિયું અથવા બાવચીનું તેલ અને આંકડાનું…
Read Moreકોલેસ્ટ્રોલ ઘટાડવાના ઉપાયો
(1)કોલેસ્ટરોલ એક ચમચી ભરી સમારેલી અથવા વાટેલી કોથમીર ખાઇને ઉપર પાણી પીવાથી શરીરમાં કોલેસ્ટરોલ ઘટે છે. એનાથી લોહીનો વહન કરનારી નશો પણ સાફ કરે છે. કોથમીર દરેક સલાડ, શાક, દાળ, કે ફરસાણ સાથે ભેળવીને પણ ખાઇ શકાય. (2) કોલેસ્ટરોલનું પ્રમાણ ઓછું કરવા માટે તેલ, ધી અને માખણ બંધ કરવા. આથી રોટલી ન ખાતાં રોટલાં ખાવા. શાક પણ બાફેલાં ખાવાં. (3) લોહીમાં કોલેસ્ટરોનું પ્રમાણ કાબૂમાં રાખવા ખાટા પદાર્થો જેવાં કે લીંબુ, આમળાં, કાચી કેરી, દહીં, છાસ, ફાલસા. આમલી, ખાટી દ્રાક્ષ વગેરેનું સેવન લાભદાયી છે. (4) દરરોડ સવાર-સાંજ એક મૂઠી શેકેલા છોતરાં…
Read Moreકૃમિ(કરમિયા) – આયુર્વેદિક ઘરેલુ ઉપચાર
(1) દરરોજ સવાર-સાંજ જમવાની પાંચેક મિનિટ પહેલાં આખું કે દળેલું નમક એકાદ નાની ચમચી જેટલું પાણી સાથે ફાકવવાથી કૃમિ વમનથી કે મળ માર્ગે બહાર નીકળી જાય છે. (2) એક થી બે ચમચી એધકચરી ખાંડેલી દાડમની છાલ એક ગ્લાસ પાણીમાં ધીમાં તાપે અડધો કપ જેટલું રહે ત્યાં સુધી ઉકાળવું. ઠંડુ પાડી ગાળીને ખાલી પેટે આ ઉકાળઓ પીવો. બીજે દિવસે સવારે હરડેનો રેચ લેવો. આનાથી ચપટાકૃમિ-ટેપવર્મ બેહોશ થઇ કે મરી જઇને બહાર નિકળી જાય છે. (3) લીમડાના પાનનો રસ દરરોજ 1-2 ચમચા સવાર-સાંજ પીવાથી તમામ કૃમિ મળ વાટે બહાર નીકળી જઇ પેટ…
Read Moreકબજિયાત – આયુર્વેદિક ઘરેલુ ઉપચાર
(1) 1 ગ્રામ તજ અને 5 ગ્રામ હરડેનું ચૂર્ણ, 100 મિ.લિ. ગરમ પાણીમાં રાત્રે પીવાથી સવારે ખુલાસાથી ઝાડો થઇ કબજીયાત મટે છે. (2) 30-40 ગ્રામ કાળી દાક્ષ રાત્રે ઠંડા પાણીમાં પલાટી સવારે મસળી, ગાળી થોડા દિવસ પાવાથી કબજીયાત મટે છે. (3) સિંધવ અને મરી બારીક વાટી દાક્ષને લગાડી રાત્રે 1-1 દાક્ષ ખૂબ ચાવીને ખાવાથી ઝાડાની શુદ્ધિ થઇ કબજીયાત મટે છે. (4) આદુનો 10 ગ્રામ રસ અને લીંબુના 10 ગ્રામ રસમાં 1.5 ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી કબજીયાત મટે છે. (5) આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરાતમાં…
Read Moreકફ – મટાડવાના ઉપાયો
200 ગ્રામ આદુ છોલી ચટણી બનાવી 200 ગ્રામ ઘીમાં શેકી, શેકાયને લાલ થાય ત્યાંરે એમાં 400 ગ્રામ ગોળ નાખી, શીરા જેવી અવલેહ બનાવવો. આ અવલેહ સવાર-સાંજ 10-10 ગ્રામ જેટલો ખાવાથી કફ વૃદ્ધિ મટે છે. પ્રસુતાને ખવડાવવાથી તે ખોરાક સારી રીતે લઇ શકે છે. 10-15 ગ્રામ આદુના રસમાં મધ મેળવીને પીવાથી કંઠમાં રહેલો કફ છૂટો પડે છે. અને વાય મટે છે. એનાથી હૃદયરોગ, આફરો, અને સૂળમાં પણ ફાયદો થાય છે. ખોરાક પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય છે. અને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં…
Read More