પિત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હિતકારી છે. દાડમનો રસ ઊલટી બેસાડે છે. સગર્ભાની ઊલટી પણ મટાડે છે. દાડમ ખૂબ શીતળ છે. તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પિત્તપ્રકોપ શાંત થાય છે. બીજ વગરની કાળી દ્રાક્ષ 50 ગ્રામ અને હરડેનું ચૂર્ણ 100 ગ્રામને ખૂબ લસોટી એક ચમચી જેટલા આ મિશ્રણની મોટી મોટી ગોળીઓ વાળી લેવી. એક કપ પાણીમાં એક ગોળી 20-50 મિનિટ પલાળી રાખી, પછી તેને પાણીમાં ખૂબ મસળી સવારે પી જવું. શરીરમાં ઉત્પન્ન થયેલાં અનેક વિકારો- કબજિયાત, ગેસ, જ્વર, મળની દૂર્ગધ, હૃદયરોગ,…
Read MoreTag: deshi gharelu upchar
વાત-વાયુ સમસ્યા અને ઘરેલુ ઉપચાર
પક્ષાધાત, કંપવાત, બાળલકવો, રાંઝણ, કમરનો દુઃખાવો, સાંધા દુઃખવા કે જકડાઇ જવા, આમવાત, વંધ્યત્વ, કસુવાવડ, શીધ્રસ્ખલન, અડદિયો વા, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટીસ, વિશ્વાચી (હાથમા થતો રાંઝણ જેવો દુઃખાવો), અવબાહુક (ફ્રોઝન શોલ્ડર), શરીરમા સોય ભોંકાતી હોય તેવી વેદના થવી, વાત કંટક (પગની એડીમાં કાંટો ભોંકાતો હોય તેવી વેદના થવી), અટકી અટકીને પેશાબ થવો, વાયુ ઉપર ચડવો, વધુ પડતા ઓડકાર આવવા, પેટમાં આફરો થવો, અનિદ્રા, શરીરના કોઇપણ ભગમાં ઝણઝણાટી થવી, કાનમા બહેરાશ, દુઃખાવો કે અવાજ આવ્યા કરવો, ચામડી લૂખી અને બરછટ થઇ જવી આ બધા રોગોમાં વાયુની પ્રબળતા હોય છે.
Read More